ભીમાણી પરીવાર એટલે કે આપણે વેદો અને ઇતિહાસના મૂળમાં જઈએ તો આર્યકુળના વંશજો છીએ આપણું મુળ વતન એશીયા ખંડના મધ્ય ભાગમાં હતુ. આપણા વડવાઓની એક ટોળી અફઘાનીસ્તાનના ખૈબરઘાટના માર્ગે થઈને આજના પંજાબ અને હરીયાણા વિસ્તારમાં આવીને વશી. કાળક્રમે આર્ય પ્રજા સમાજ વ્યવસ્થાના ભાગ રૂપે ચાર વણ”માં વહેંચાઇ બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય અને શુદ્ર આ ચાર વર્ણમાં આપણે ક્ષત્રિય તરીકે ઓળખાયા એટલે આપણે મૂળ વૈશ્ય નહી પણ ક્ષત્રિય હતા પંજાબ અને હરીયાણામાં વસતા આપણા પૂર્વજો gal ક્ષત્રિય તરીકે ઓળખાતા. આજે પણ આ વિસ્તારમાં gail ક્ષત્રિયોની સારી એવી વસ્તી છે. મહાભારતના આદી પર્વ પ્રમાણે બ્રહ્માજીના માનસ પુત્ર કશ્યપ ત્રકષીના આપણે વંશજો છીએ એટલે સમગ્રપાટીદારનું મુળ ગોત્ર કશ્યપ છે.
Read More